Latest News

Weather

Anand

Latitude - 22.58°N       Longitude - 72.92°E       Altitude - 45.1 m

TODAY'S WEATHER 

17/11/2025, [Monday]
Temperature (°C)
Max Min
30.0 13.5
Relative Humidity 72 Wind Speed 4.2
Wind Direction NE Bright Sunshine 9.7
Evaporation 3.5 Rainfall 0.0
Weather Remarks


ગ્રામીણ કૃષિ મૌસમ સેવા

હવામાન આગાહી આધારિત કૃષિ સલાહ બુલેટીન

 

આણંદ જીલ્લો  

 

કૃષિ સલાહ

 

હવામાન સારાંશ

  • ભારત મૌસમ વિભાગની આગાહી મુજબ, આણંદ જીલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હવામાન મુખ્યત્વે સૂકું તથા આકાશ ચોખ્ખું રહેવાની સંભાવના છે. મહતમ તાપમાન ૩૦ થી ૩૧ ડીગ્રી સે., લઘુતમ તાપમાન ૧૪ થી ૧૫ ડીગ્રી સે. તથા હવામાં ભેજનું પ્રમાણ ૨૦ થી ૫૨ ટકા રહેવાની શક્યતા છે, પવનની સરેરાશ ઝડપ ૧૨ થી ૧૩ કિમી/કલાક તેમજ પવનની દિશા મોટેભાગે ઉત્તર-પૂર્વ તરફ રહેવાની શક્યતા છે.
  • આગોતરું અનુમાન: ૧૯ થી ૨૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન ગુજરાત વિસ્તારમાં મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાન સામાન્ય કરતા સાધારણ નીચું રહેવાની સંભાવના છે.

સામાન્ય સલાહ

  • ઉભા પાકોમાં હવામાનની પરીસ્થિતિ અને જમીનના પ્રતને ધ્યાનમાં લઈ જરૂરિયાત મુજબ પિયત આપવું તેમજ પાક નિરીક્ષણ કરી પાક સંરક્ષણના પગલા લેવા.
  • આગામી શિયાળુ પાકોની વાવણી માટે જમીનની તૈયારી કરવી.
  • શિયાળુ (રવિ) પાકો વાવણી માટે હવામાન સાનુકુળ રહેવાની સંભાવના હોઈ તૈયાર કરેલ જમીનમાં વાવણી શરુ કરવી.
  • હવામાન આધારિત કૃષિ સલાહ અંગેની સ્થાનિક ભાષામાં માહિતી મેળવવા માટે મોબાઈલમાં મેઘદૂત એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો:

એન્ડ્રોઈડ યુઝર્સ માટે: https://play,google.com/store/apps/details?id=com.aas.meghdoot

આઈ.ઓ.એસ યુઝર્સ:  https://apps.apple.com/in/app/meghdoot/id1474048155

પાક

પાક અવસ્થા

રોગ/

જીવાત

કૃષિ સલાહ

તમાકુ

વાનસ્પતિક/

ફૂલ/

ફેરરોપણી

 

  • વાકુંબાનો ઉપદ્રવ હોય તો તેનો સમયસર ઉપાડી નાશ કરવો.
  • પચરંગીયો રોગના નિયંત્રણ માટે ભલામણ મુજબની શોષક પ્રકારની કીટનાશક દવાનો છંટકાવ કરવો.
  • તમાકુમાં સફેદ ટપકાં રોગના નિયંત્રણ માટે હેક્ઝાકોનાઝોલ ૫ એસસી ૧૦ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૩૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી કોઈપણ એક ફૂગનાશકના વારાફરતી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
  • કલકત્તી તમાકુની રોપણી માટે ગુજરાત કલકત્તી તમાકુ (જીસી ૧), ગુજરાત કલકત્તી તમાકુ ૨ (જીસીટી ૨) અને ગુજરાત કલકત્તી તમાકુ ૩ (જીસીટી ૨), ગુજરાત કલકત્તી તમાકુ ૫ (જીસીટી ૫) વગેરે જેવી જાતોના ધરુંની પસંદગી કરી નીક-પાળા પદ્ધતિથી ૬૦ સે.મી. x ૪૫ સે.મી.ના અંતરે ફેરરોપણી કરવી.

 કેળ

વાનસ્પતિક

 

 

  • રોપણી કરેલ કેળના પાકમાં ૧૫-ર૦ સે.મી. ઉંચાઈ સુધી થડમાં માટી ચઢાવવી તથા મુખ્ય થડની બાજુમાંથી નીકળતા પીલા સતત દુર કરવા.
  • રોપણી પછી ચોથા મહિને નાઈટ્રોઝનયુક્ત (એમોનિયમ સલ્ફેટ અથવા યુરીઆ) અને પોટાશયુક્ત (મ્યુરેટ ઓફ પોટાશ) ખાતરનો ભલામણ મુજબનો હપ્તો આપવો.

તુવેર

ફૂલ/શીંગ બેસવી

 

  • તુવેરના પાકમાં શીંગો કોરી ખાનારી લીલી ઈયળ અને શીંગની માખીનો ઉપદ્રવ વધુ જોવા મળે છે, છોડમાં ફૂલો આવે ત્યારે અને ત્યારબાદ ૧પ દિવસે ટ્રાયઝોફોસ ૩પ ઈ.સી. ૧૦ મી.લી. અથવા પ્રોફેનોફોસ ૧૦ મી.લી. ફેનવાલરેટ પ મી.લી. પૈકી કોઈપણ એક દવા ૧૦ લીટર પાણીમાં મિશ્રણ કરીને છંટકાવ કરવાથી લીલી ઈયળ અને શીંગની માખીના ઉપદ્રવનું નિયંત્રણ કરી શકાય છે.
  • તુવેરના પાકમાં વંધ્યત્વનો રોગ પાન કથીરીથી રોગ ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે કથીરીનાશક દવા પ્રોપરગાઈટ ૫૭ ઇસી ૨૦ મી.લિ. અથવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને જરૂરિયાત મુજબ બે થી ત્રણ છંટકાવ કરવા.
  • તુવેરના પાકમાં ફૂલની કળી બેસવાની અવસ્થાએ જમીનમાં ભેજની અછત જણાય તો હળવું પિયત આપવું.

કપાસ

જીંડવા બેસવા/ જીંડવા ખુલવા

 

  • ગુલાબી ઈયળના નર ફૂદાંને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવા.ગુલાબી ઇયળનો વધુ ઉપદ્રવ જણાય તો તેના નિયત્રણ માટે કીટનાશક દવા જેવી કે પ્રોફેનોફોસ ૫૦ ઈસી ૧૦ મિ.લી. અથવા સાયપરમેથ્રીન ૧૦  ઈસી ૧૦ મિ.લી. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  •  સુકારા (પેરાવિલ્ટ)ના નિયંત્રણ માટે છોડ ઉપર ફૂલભમરી અને જીંડવાઓ બેઠા હોય પાણી અને પોષકતત્વોની અછત હોય ત્યારે ટૂંકા ગાળે પિયત આપી ભેજની અછત ટાળવી તથા છંટકાવ માટેનું ૧૯-૧૯-૧૯ ખાતર ૧૦૦ ગ્રામ + માઈક્રોમિક્સચર ગ્રેડ-૪ ૨૫ ગ્રામ એક પંપમાં નાખી ૧૦ દિવસના અંતરે છંટકાવ કરવા. પોટેશિયમ નાઈટ્રેટ ૨ % નું દ્રાવણ છાંટવું અથવા યુરીયાનું ૧ % દ્રાવણ છોડના ફરતે રેડવું.
  • કપાસના પાકના છોડમાં ખુલી ગયેલ જીંડવામાંથી રૂની વીણી કરવી.
  • પાકમાં હવામાન અને જમીનના પ્રતને ધ્યાનમાં લઈ હળવું પિયત આપવું

દિવેલા

ફૂલ

 

  • દિવેલાના પાકમાં ઘોડિયા ઈયળના ઉપદ્રવ થવાની શક્યતા હોવાથી તેની ફુદીઓ રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર પ્રતિ હેક્ટરે એકની સંખ્યામાં ગોઠવી તેમાં આકર્ષાયેલ ફૂદાનો નાશ કરવો. ઈયળનો વધુ ઉપદ્રવ હોય તો કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લી. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.

મરચી

ફૂલ/ફળ

 

  • મરચીના પાકમાં થ્રીપ્સ જીવાતનો ઉપદ્રવ જણાય તો નિયંત્રણ માટે લીંબોળીનું તેલ ૩૦ થી ૫૦ મી.લિ.૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. આ જીવાતનો વધુ ઉપદ્રવ જણાય તો સ્પીનોસાડ ૩ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
  • મરચીના પાકમાં ફૂલ આવવાના સમયે નાઈટ્રોજન ૨૫ કિ.ગ્રા અને પોટાશ ૫૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર તથા પ્રત્યેક વીણી પછી નાઈટ્રોજન ૨૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર આપવો.

ટામેટી

ફૂલ/ફળ

 

  • આગોતરા સૂકારા રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ દવા ૭૫ વે.પા. ૨૭ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વે.પા. ૨૭ ગ્રામ અથવા લીમડાના તાજા પાનનો અર્ક ૫૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
  • લીલી ઈયળના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ પ્રમાણે ગોઠવવા અને લ્યુર દર ૨૧ દિવસે બદલવી.

રીંગણ

ફૂલ/ફળ

 

  • સફેદમાખી અને તડતડિયાંના નિયંત્રણ માટે થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવીને હવામાન ખુલ્લું રહે ત્યારે છંટકાવ કરવો.
  • ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ ની નિયમિત મોજણી અને નિગાહ માટે ખેતરમાં ૪-૬ ફેરોમોનટ્રે પ પ્રતિ એકર ગોઠવવી. આ ઈયળનો ઉપદ્રવ જણાય તો નુકશાનગ્રસ્ત ડુંખ અને ફળને છોડમાંથી તોડીને જમીનમાં દાટી દેવા. વધુ ઉપદ્રવ જણાય તો કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા થાયોડીકાર્બ ૫૦ વેપા ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરીને છંટકાવ કરવો.

વેલાવાળા શાકભાજી

ફૂલ/ફળ

 

  • વેલાવાળા શાકભાજી પાકમાં મોલોના નિયંત્રણ માટે લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લી. (૦.૧૫ ઇસી) અથવા લીંબોળીની મીંજના ૫૦૦ ગ્રામ ભૂકાનો અર્ક (૫ ટકા અર્ક) ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો વધુ ઉપદ્રવ જણાય તો થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો.

ચણા

 

વાવણી/

ઉગાવો

 

  • ચણાના વાવેતર માટે ગુજરાત ચણા-૧, ૪, ૫,  જવાહર ૧૪ જેવી જાતોની પસંદગી કરવી.
  • બિયારણનો દર: ચણાની જાત પ્રમાણે ૬૦ થી ૮૦ કિ.ગ્રા./હે.
  • વાવણી અંતર: બે હાર વચ્ચે ૪૫ સે.મી.,રસાયણિક ખાતર: ૨૦:૪૦:૦૦ ના.ફો.પો./હે.(પાયામાં)
  • પિયત ચણામાં હાથ નિંદામણથી પહોચી શકાય તેમ ન હોય તો વાવેતર બાદ તુરત એટલે કે ચણાના ઉગાવા પહેલા પેન્ડીમીથાલીન (૫૫ મિ.લી. ૧૦ લિટર પાણીમાં) નામની દવા હેક્ટરે એક કિલો (સક્રિય તત્વ) મુજબ ૫૦૦ થી ૬૦૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી નિંદણ નિયત્રણ કરી શકાય છે.

ઘઉં

જમીનની તૈયારી/

વાવણી

 

  • સમયસર વાવણી (૧૫ થી ૨૫ નવેમ્બર દરમ્યાન જયારે રાત્રિ અને દિવસનું સરેરાશ ઉષ્ણતામાન ૨૦ થી ૨૫ ડીગ્રી સે. જેટલું રહે ત્યારે): જી.ડબલ્યુ-૩૨૨, જી.ડબલ્યુ-૨૭૩, જી.ડબલ્યુ-૪૯૬, જી.ડબલ્યુ-૩૬૬, જી.ડબલ્યુ-૪૫૧, જી.ડબલ્યુ-૫૧૩
  • બિયારણનો દર: ૧૨૦ કિ.ગ્રા/હે.
  • વાવણી અંતર: બે હરોળ વચ્ચે ૨૨.૫ સે.મી.
  • રસાયણિક ખાતર: ૧૨૦:૬૦:૦૦ કિ.ગ્રા. ના.ફો.પો./હે. (જે પૈકી ૬૦ કિ.ગ્રા./હે. નાઈટ્રોજન અને  ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ/હે. વાવણી સમયે પાયાના ખાતર તરીકે આપવો.)
  • ઉધઈના નિયંત્રણ માટે ઘઉંના બીજને વાવણીની આગલી રાત્રે ૧૦૦ કિ.ગ્રા. બિયારણ દીઠ ફિપ્રોનીલ ૫ એસસી ૬૦૦ મિ.લિ. અથવા કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૪૦૦ મિ.લિ. ૫ લિટર પાણીમાં મિશ્ર કરી બિયારણને માવજત આપવી.
  • ઘઉંના પાકમાં નિંદામણ નિયંત્રણ માટે ઉગાવા પહેલા (પ્રિ ઈમરજન્સ) તરીકે પેન્ડીમીથાલીન દવા ૭૫૦ ગ્રામ સક્રિય તત્વ/હે. વાવેતરના પિયત બાદ ૪૮ કલાકની અંદર છંટકાવ કરવો.

બટાટા

જમીનની તૈયારી/

રોપણી

---

  • બટાટાની રોપણી શરૂ કરવી.
  • જાતો: રોપણી માટે કુફરી બાદશાહ, લોકર, પોખરાજ જેવી જાતોની પસંદગી કરવી.
  • બીજ દર: ૨૫૦૦ થી ૩૦૦૦ કિ.ગ્રા./હે. ના દરે ૨૫ થી ૪૦ ગ્રામના તંદુરસ્ત બે થી ત્રણ આંખોવાળા ટુકડાં અથવા કંદ
  • બીજ/કંદ માવજત: ૧૦૦૦ કિ.ગ્રા. બટાટાના કાપેલ ટુકડાંઓને ૫૦૦ ગ્રામ મેન્કોઝેબ + ૫ કિ.ગ્રા. શંખજીરુનો પટ આપી રોપણી કરવી.
  • રોપણી અંતર: બે હાર વચ્ચે ૪૫ સે.મી. અને બે છોડ વચ્ચે ૨૦ સે.મી.
  • રસાયણિક ખાતર:  ૧૧૦ કિ.ગ્રા. નાઈટ્રોજન/હે., ૧૧૦ કિ.ગ્રા. ફોસ્ફરસ/હે. અને ૨૨૦ કિ.ગ્રા. પોટાશ/હે. પાયાના ખાતર તરીકે આપવો.

રજકો

(ઘાસચારા)

જમીનની તૈયારી/

વાવણી

 

  • મધ્ય ગુજરાતમાં રજકાની વાવણી માટે જમીન ખેડી તૈયાર કરવી તેમજ તૈયાર કરેલ જમીનમાં જાતો જેવી કે જીએયુએલ-૧, આણંદ રજકા-૩, આણંદ રજકા-૪ જેવી જેવી જાતોની નવેમ્બર માસના બીજા અઠવાડિયા દરમિયાન કરવી.
  • અંતર: બે હરોળ વચ્ચે ૨૫ સે.મી., બીજનો દર: ૧૦ કિ.ગ્રા./હેક્ટર

પશુપાલન

  • પશુઓના શરીર ઉપર કે કોઢ ગમાણમાં ઈતરડીને દૂર કરવા નજીકના પશુ દવાખાનાની સલાહ મુજબ દવાનો છંટકાવ કરવો. પશુઓને ખનિજયુક્ત મિશ્રણ સહિતનો ખોરાક આપવો.
  • પશુઓને ખારવા મોવાના રોગનું રસીકરણ કરાવવું.

 

 

 
 
Photo Gallery X